નાલંદા વિદ્યાપીઠ


નાલંદા વિદ્યાપીઠ

પ્રસ્તાવના :
  • પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષાનું સર્વાધિક મહત્વનું  કેન્દ્ર ગણાતી પ્રાચીન વિદ્યાપીઠ.
  • જેને વર્ષ 2016માં  વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવિષ્ટ કરવામાં આવી એવી ભારતની અતિ પ્રાચીન વિશ્વવિદ્યાલય એટલે ભારતની નાલંદા વિદ્યાપીઠ.
  • ભારતની નાલંદા વિદ્યાપીઠનો પ્રાચીન કાળથીજ  દબદબો રહ્યો હતો.
  • જે તે સમયે માત્ર જ્ઞાન માટેનું મંદિર જ નહીં , પણ સુંદરતા અને કલાત્મકતા   ની વાતમાં પણ નાલંદા વિશ્વવિદ્યાલય અગ્રેસર સ્થાન ધરાવતી હતી.

ઉદભવ અને વિકાસ :
  • નાલંદા વિદ્યાપીઠના  અવશેષો  બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના રાજગીરી નજીકમાં 11 કિમીના અંતરે પ્રાપ્ત થયેલા છે.
  • આ અવશેષો 14 હેક્ટર માં ફેલાયેલા છે. અને મળેલ અવશેષો પરથી વિદ્યાપીઠનું બાંધકામ લાલ પત્થરો  થી થયેલું હસે એવું લાગે છે.
  • હવે આ અવશેષો અલેકજેન્ડર કેનિગહામ  નામના પૂરાતત્વવિદે શોધેલા છે.
  • આ ઉપરાંત ઇસુની સાતમી સદીમાં ચીનથી ભારતના પ્રવાસે આવેલા  હ્યુ-એન-ત્સાંગ  અને ઇત્સિંગ  નાલંદા વિદ્યાપી અંગે ઉલ્લેખ કર્યો હતો .
  •  
  • આ અંગેનો ઉલ્લેખ હ્યુ-એન-ત્સાંગે  એમની પુસ્તક સી યુ કી માં અને ઇત્સિંગે  એમની પુસ્તક ભારત તથા મલય દ્વીપ પૂંજ માં પ્રચલિત બૌદ્ધ ધર્મ નું વિવરણ .માં નોંધેલ છે.
  • આ બંને પ્રવાસીઓ નાલંદા ના એક સમય  ના વિધાર્થીઓ હતા.
  •  
  • હવે આ વિદ્યાપીઠ ની સ્થાપના 5મી સદી માં થઈ  હશે એવું માનવમાં આવે છે .
  • હ્યુએન સાંગ  અને ઇત્સિંગ  ના યાત્રા વૃતાંત (પુસ્તક) પર થી ખ્યાલ આવે છે કે નાલંદા વિશ્વવિદ્યાલયનો પાયો ગુપ્તવંશના રાજા કુમારગુપ્ત પહેલાએ નાખેલો હતો.
  • આ ઉપરાંત નાલંદા માંથી ગુપ્ત શાશકો ના સિક્કા મળી આવ્યા છે , જેના પર થી પણ આપણે નાલંદાના ઉદભવ ની માહિતી મેળવી શક્યા.
  • તેમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એક મઠ બંધાવેલો અને બાદમાં તેમના પુત્રએ વિશ્વવિદ્યાલયમાં પરિવર્તિત કર્યો હતો.
  • તથા નાલંદા વિદ્યાપીઠ માત્ર એક મઠ નથી,રંતુ તે ભારતીય સંસ્કૃતિની  સ્થાપત્યકળાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
  • આ  નાલંદા વિદ્યાપીઠ નું સરક્ષણ  ગુપ્ત, હર્ષવર્ધન  અને પાલ  શાશકો દ્વારા થયેલું મનાય છે.
  • નાલંદા વિદ્યાપીઠ 1600 મીટર લાંબી અને 800 મીટર પહોળાઈમાં ફેલાયેલી હતી
  • વિદ્યાપીઠમાં સાત મોટા અને ત્રણસો જેટલા નાના ઓરડા આવેલા હતા .
  • આ ઉપરાંત અનેક બહુમાળી સ્તૂપો અને મંદિરો તથા અગિયાર વિહારો, પણ આવેલા હતા
  • પ્રવેશદ્વાર માટે એક મંડપ આકારની રચના હતી  જેની દીવાલો પર પૂજાસ્થાન હશે.
  • અને અભ્યાસ માટે ઓરડાઓ સિવાય ચિંતન માટે ગુફાઓ અને એક વિશાળ પુસ્તકાલય પણ હતું.
  • અહીં  ધર્મગંજ નામનું વિશાળ પુસ્તકાલય હતું. જે આકર્ષણ નું  કેન્દ્ર હતું . જેના  નવ માળ હતા . તથા આ પુસ્તકાલય ના ત્રણ વિભાગ હતા જે     1) રત્નસાગર  2) રત્નોદધિ અને 3) રત્નરંજકનાં  નામથી ઓળખાતા હતા  અહીં ના પુસ્તકાલયો માં હજારોથી વધુ પુસ્તકો અને ૯0000 જેટલી પાંડુ લિપિઓ હતી. આ પરથી અંદાજો લગાવી શકાય કે અહીં  પુસ્તકોની કેટલી ભરમાર હશે.
  • અહીં  10000 વિધાર્થીઓ ની સામે 2000 જેટલા શિક્ષકો  હતા.
  • અહીં  તક્ષશિલા જેવા જ વિષયો ભણાંવવામાં આવતા જેમકે ઇતિહાસ ,વિજ્ઞાન ,ગણિત , વ્યાકરણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર ,જ્યોતિષશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વેદ, હેતુવિદ્યા, શબ્દવિદ્યા વગેરે જેવા અનેક વિષયો ભણાવવામાં આવતા.
  • તથા ખગોળશાસ્ત્ર પર તો  અલગ થી વિભાગ હતો અને એના પર થી સંશોધન પણ સારા એવા કરવામાં આવતા.
  • વિશ્વવિદ્યાલય નો મુખ્ય  ઉદેશ્ય હતો ધ્યાન અને આધ્યાત્મકતા માટે સ્થાન બનાવું
  • અહીં  બુદ્ધ ધર્મ ની મહાયન શાખા જે ગણાય છે તેનો પ્રભાવ વધુ જોવા મળે છે, આ ઉપરાંત અહી  હીનયાન શાખા,  અને હિંન્દુ ધર્મના વિચારોનો પણ  અભ્યાસ કરાવવામાં આવતો હતો .
  • અહીં  અભ્યાસ એકદમ નિ:શુલ્ક હતો , હવે જેમ તક્ષશિલામાં અનુદાન આવતું હતું એમ અહીં  પણ જે શાશકોએ  સંરક્ષણ આપ્યું હતું એમના દ્વારા વિશ્વવિદ્યાલય ને  અનુદાન આપતું  , અને આજુબાજુ ના ગામો દ્વારા પણ અનુદાન કરવામાં આવતું હતું.
  • નાલંદામાં અભ્યાસઅર્થે આવનારાઓમાં ચીન, જાપાન, તિબેટ, મંગોલિયા, કોરિયા, અને મધ્ય એશિયાના દેશોના વિદ્યાર્થીઓ પણ આવતા હતા. એટલે કે વિચારો મિત્રો આની ખ્યાતિ કેટલી ભવ્ય રહી હશે .
  • તથા અહીં  પ્રવેશ મેળવવા ના નિયમો સખત કડક હતા. ત્રણ પરીક્ષાઓ ઉતીર્ણ્  કરવી પડતી. ત્યાર બાદ જ પ્રવેશ આપતો, આ  ઉપરાંત અહીં  ના આચાર્ય ને મળવા માટે પણ દ્વારપાલ દ્વારા પ્રશ્નો પૂછાતા અને જો તે  જવાબ આપી શકે  તોજ પ્રવેશ મળતો,
  • અને વિધાર્થીઓ  દ્વારા પણ અહીં  સુધ્ધ આચરણ અને સંઘ ના નિયમો નું ફરજિયાત પાલન કરવામાં આવતું.
  • અહીં  શિક્ષા પદ્ધતિ મૌખિક વ્યાખ્યાયન ની હતી. અહીં  ત્રણ શ્રેણી ના આચાર્યો રહેતા . સામાન્યશ્રેણીનાંઆચાર્ય ,  મધ્યશ્રેણીના આચાર્ય  અને પારંગતશ્રેણી ના આચાર્યો હતા.
  • અહીં  બધા વિષયો ની તો ચર્ચા થતીજ સાથે સાથે ત્રિપિટકો ની પણ ખાસ ચર્ચા કરવામાં આવતી.
  • હવે જ્યારે હ્યુ-એન-ત્સાંગ  જ્યારે આવે છે નાલંદા માં ત્યારે અહીં ના મુખ્ય આચાર્ય શીલભદ્ર હતા.
  • અ ઉપરાંત ધર્મપાલ ,ચંદ્રપાલ અને કમલશીલ  પણ અહીં  આચાર્ય ની શ્રેણી માં રહી ચૂકેલ હતા .


વિદ્યાપીઠ નું પતન :

  • વિદ્યાપીઠ નું પતન 13મી સદી માં બખ્તિયાર ખિલજી દ્વારા થાય છે. આની માહિતી આપણ ને મુસ્લિમ ઇતિહાસકાર મીનહાજ અને તીબ્બતી ઇતિહાસકાર તારાનાથના પુસ્તકો માથી  મળે છે. 
  • આટલી મોટી જ્ઞાનધારાના અંતની કથા એવી છે કે તુર્કી આક્રમણકારીઓમાંના  બખ્તિયાર ખિલજીને એક બીમારી લાગુ થઇ હતી કે જેનો ઈલાજ હકીમ પાસે ન હતો. પરંતુ ભારતીય વૈદ્ય નાલંદા ના મુખ્ય અધ્યાપક રાહુલ શ્રીભદ્ર (આયુર્વેદ વિભાગના મુખીયા ) ઈલાજ જાણતા હતા. તેમણે ઈલાજ કરાવ્યો પણ ત્યારથી  તેમના મનમાં  એક આગ ભભૂકી કે હકીમોનું જ્ઞાન અધૂરું છે અને હિન્દુસ્તાની વૈદ્યો પાસે અનેકગણી વિદ્યા અને જ્ઞાન છે. જો આ રીતે જ ચાલતું રહ્યું તો ભારતના  વૈદ્યોનું જ્ઞાન આગળ નીકળી જશે. પછી તેમણે વિચાર્યું કે નાલંદાના અસ્તિત્વને જ રગદોળી નાખીએ .તેને એવુજ કર્યું .નાલંદા ના પુસ્તકાલયો ને આગ લગાવી અને ત્યાંનાં આચાર્યો , અધ્યાપકો, અને વિધ્યાર્થીઓ સહિત હત્યા કરવામાં આવી , ઈતિહાસમાં લખ્યું છે કે નાલંદા નું પુસ્તકાલય છ  મહિના સુધી સળગતું હ્યુ  હતું . આ રીતે વિદ્યાપીઠનો અંત આવ્યો
  • તારાનાથ દ્વારા તો એવું પણ કહેવાયું  કે બકતીયાર ખિલજી દ્વારા નાશ થયો એ પહેલા જ આ નાલંદા વિદ્યાપીઠ ના પતન ની શરૂઆત આચાર્યોના અંદરો અંદર કલેશ થી જ થઈ ગઈ હતી.
  • આમાં આ ભયંકર અગ્નિ માં ભારતની અમૂલ્ય ધરોહર બળીને રાખ થઈગઈ.
  • જ્યારે ભારત પાસે જે જ્ઞાનનો અમૂલ્ય ભંડાર હતો. તે થોડી જ ક્ષણો  માં શૂન્ય થઈ ગયો.
  • આજે જો નાલંદા વિદ્યાપીઠ હોત તો ભારત વિશ્વમાં કોઈક અલગ જ દરજ્જો ધરાવતો હતો .
  • નાલંદા વિદ્યાપીઠણો લોહિયાળ ઇતિહાસ કરૂણ અને હ્રદય દ્રાવક છે. જેની માહિતી બહુ ઓછા લોકો ને છે.
  • આખો ઇતિહાસ જોતાં ખ્યાલ આવે કે ખરા અર્થ માં નાલંદા જ્ઞાનનું  મંદિર હતી. 


   CREATOR: VAISHALIBA VAGHELA
       EDITOR: HETALBA VAGHELA







Comments

Post a Comment

Popular posts from this blog

ત્રણ વિશ્વવિદ્યાલય ની સરખામણી

તક્ષશિલા વિદ્યાપીઠ